પુણ્યભૂમિ ભારત અનેક મહાન દિવ્ય આત્માઓની જન્મભૂમિ રહી છે. સાધુપુરુષોનું રક્ષણ કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા સર્વશક્તિમાન ઈશ્વર અને મહાપુરુષોના પૃથ્વી પરના અવતરણની ગાથાઓને મહાકાવ્યોમાં વણી લેવાઈ છે. ‘વિશ્વના દરેક ધર્મમાર્ગ એક જ ઈશ્વર તરફ દોરી જાય છે’ તેની ખાતરી કરાવવા નજીકના ભૂતકાળમાં, ભગવાને પૃથ્વી પર અવતરવાનું પસંદ કર્યું.

આ યુગમાં ઈશ્વર શ્રીરામકૃષ્ણ પરમહંસ તરીકે અવતર્યા. તેમના પિતા ક્ષુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતા ચંદ્રામણિદેવી હતાં. તેઓ ઘણા ગરીબ હતા, છતાં પણ પવિત્ર અને પ્રામાણિક હતા. તેઓ બંગાળના રમણીય ગામ કામારપુકુરમાં રહેતા હતા. ચંદ્રામણિદેવી ગરીબો પ્રત્યે ઘણાં પ્રેમાળ ને માયાળુ હતાં. ક્ષુદીરામ શ્રીરઘુવીરના ભક્ત હતા. તેમને જુઠ્ઠું બોલવું પસંદ ન હતું.

About the author : eshop

One Comment

  1. Bipin Mehta February 27, 2022 at 12:29 am - Reply

    Hello,
    Is the following book available. Also is this book available in GUJARATI?
    I have Sri Ramakrishna’s GISOEL AND LEELAPRASANG BOOKS.

    I am interested in Sri Ramakrishna biography in Gujarati. If you have any if his books can you please send me the list, it’s priced and shipping cost to USA.
    I will appreciate your help.
    Bipin

    By: Swami Dhruveshnanda
    Sri Ramakrishnadeva Jivan Charitra (Gujarati)
    Gujarati Edition

Leave A Comment

Related posts

Popular products

Product categories